Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નવદુર્ગા ગરબી મંડળ-શ્રધ્ધા સોસાયટી-કોઠારીયા રોડ

રાજકોટઃ. શહેરના કોઠારીયા મેઈન રોડ ૪૦ ફુટના રોડ પર આવેલ શ્રધ્ધા સોસાયટીમાં છેલ્લા ૨૫ વર્ષથી સીતારામ ચોક ખાતે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય-દિવ્ય આયોજન થઈ રહ્યુ છે. હાલ ગરબી મંડળની બાળાઓ, ખંજરી રાસ, કરતાલ રાસ, મટકી રાસ, ગાગર રાસ, દાંડીયા રાસ સહિતના રાસની તાલીમ મુન્નાભાઈ, અશોકભાઈ, અશ્વિનભાઈ, ગોપાલભાઈ, પ્રવીણભાઈ, ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ લઈ રહ્યા છે. આયોજનને દીપાવવા સુનીલભાઈ, જગાભાઈ, દેવદાનભાઈ, વિરાજભાઈ, મયુરભાઈ, ગોવિંદભાઈ સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીરઃ અશોકભાઈ બગથરીયા)

(3:19 pm IST)