Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે એક દિવસીય નિઃશૂલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર સન્‍યાસ ઉત્‍સવ સંતવાણી

શનિવારે ભાદરવી પૂનમ નિમિત્તે : ધ્‍યાન ભજન ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસરઃ આયોજક સ્‍વામિ પ્રેમ મૂર્ર્તિ (સ્‍વીઝરલેન્‍ડ) સંચાલકઃ સ્‍વામિ સત્‍યપ્રકાશ સંતવાણી આયોજકઃ બકુલભાઇ ટિલાવત (સ્‍વામિઆનંદ તીર્થ) લાફટરથેરાપી માસ્‍ટર સ્‍વામિ દેવરાહુલ(નિતિનભાઇ) દ્વારા હસીબા-ખેલીબા ધરીબા ધ્‍યાનમ્‌ શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી આજથી શરૂ

 રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે અવાર નવાર કાર્યક્રમનુ઼ આયોજન કરવામાં આવે છે જેનું સફળ ર્સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ છેલ્‍લા ૩૭ વષોંથી કરી રહ્યા છે.તા.૧૦ને શનિવારે પૂનમથી શિબિરની રૂપરેખા આ મુજબ છે. સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન(આ ધ્‍યાન છેલ્‍લા ૩૭ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર નિયમીત સવારે ૬થી ૭ કરવામાં આવે છે) સવારે ૭.૧૫થી ૮ બ્રેક ફાસ્‍ટ, સવારે ૮.૩૦થી  ૯ ગુરૂવંદના સવારે ૯થી બપોરે ૧ દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો બપોરે ૧થી ૩ મહાપ્રસાદ(હરિહર) તથા વિશ્રામ બપોરે ૩થી ૪ ઓશો વિડીયો દર્શન. બપોરે ૪થી ૪.૧૫ ચા-પાણી બપોરે ૪.૧૫થી ૫.૧૫ કુંડલીની ધ્‍યાન સાંજે ૫.૧૫થી રાત્રે ૮.૩૦ દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગ, સંન્‍યાસ ઉત્‍સવ, સ્‍વામિ દેવરાહુલ, દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા ધ્‍યાનમ્‌ સંધ્‍યા ધ્‍યાન, પૂનમ કિર્તન ધ્‍યાન રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદક(હરિહર)

રાત્રે ૮.૩૦ વાગ્‍યે સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક શ્રીબકુલભાઇ ટિલાવત(સ્‍વામિ આનંદતીર્થ) તથા તેમની ટીમના ગૌતમભાઇ મકવાણા, દેવજીભાઇ ચુડાસમા, રસીકભાઇ ચુડાસમા, બળવંતસિહ ગોહિલ, ખુશ પ્રજાપતિ, માંધાભાઇ પાંભર, સ્‍વામિ રાજુભાઇ, સ્‍વામિ જગદીશ ભારતી, કનુભાઇ મહારાજ, વિનોદભાઇ નિમાવત, કાળુભાઇ મકવાણા, બલરાજભાઇ મકવાણા, અરવિંદભાઇ જેઠવા, દિલીપભાઇ ખોલીયા, લાખાભાઇ બોરીચા વગેરે સંતો-મહંતોની વાણી રજુ કરી સાધકો તે ભકિતમાં લીન કરશે. સંતવાણી કાર્યક્રમ રાત્રે ૧૨.૩૦ વાગ્‍યે સમાપન કરવામાં આવશે.

ઉપરોકત એક દિવસીય ભાદરવી પૂનમથી શિબિરમાં સહભાગી થવા ઓશો સંૅન્‍યાસી તથા પ્રેમીઓને ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરની ટીમે અનુરોધ કરેલ છે.

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર , ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી ડીમાર્ટ પાછળની શેરી, રાજકોટ

વિશેષ માહિતી તથા નામ નોંધણી કરાવવા માટે એસએમએસ સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬ સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(5:03 pm IST)