Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

હળવદના માથકમાં પગથીયેથી પડી જતાં ઉર્મિલા નાયકનું મોત

મુળ છોટાઉદેપુરની પરિણીતા ૧૫ દિ' પહેલા જ માતા બની હતીઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

રાજકોટ તા. ૮: હળવદના માથક ગામે કાનાભાઇની વાડીમાં રહેતાં મુળ છોટાઉદેપુરના વાસુદેવ નાયકની પત્‍નિ ઉર્મિલા ગઇકાલે વાડીના રૂમમાં જતી વખતે પગથીયા પરથી પડી જતાં ઇજા થતાં બેભાન હાલતમાં ચરાડવા હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્‍યું હતું. હળવદ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

ઉર્મિલાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં અને પંદર દિવસ પહેલા જ તેણીએ દિકરાને જન્‍મ આપ્‍યો હતો. નવજાત પુત્ર મા વિહોણો થતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:31 am IST)