Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ઔદ્યોગિક તાલિમ સંસ્થા, રાજકોટ દ્વારા ૧૬ જગ્યાઓ માટે ભરતી યોજાશે

રાજકોટ;જામનગર રોડ, શેઠનગર સામે,  નાગેશ્વર મંદિર પાસે, રાજકોટ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઇ.ટી.આઇ.) દ્વારા ૯ ફીટર ટ્રેડ અને ૭ મિકેનીકલ ડીઝલ ટ્રેડની જગ્યાઓ માટે ભરતીની પ્રકિયા યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ તા.૧૫ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરી જમા કરાવી આપવાના રહેશે. જે અન્વયે ઉમેદવારે સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધીમાં સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. તેમ ઔદ્યોગિક તાલિમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

(12:50 am IST)