Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ત્રણ વર્ષથી કોૈટુંબીક મામી સાથે રહેતાં અરવિંદનો ગળાફાંસો ખાઇ આપઘાત

મુળ ગોંડલનો દેવીપૂજક યુવાન રાજકોટ મંછાનગરમાં રહેતો હતો

રાજકોટ તા. ૮: માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં મુળ ગોંડલના દેવીપૂજક યુવાન અરવિંદ કેશુભાઇ મકવાણા (ઉ.૨૧)એ  ઘરમાં લોખંડની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ સુધાબેન ડી. પાદરીયા અને રાઇટર અશ્વિનભાઇએ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અરવિંદ મુળ ગોંડલનો હતો અને ત્રણ વર્ષથી અહિ વિધવા કોૈટુંબીક મામી જ્યોત્સનાબેન સાથે રહેતો હતો. તે કડીયા કામની છુટક મજૂરી કરતો હતો. બનાવનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૮)

(4:10 pm IST)