Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખપદે યશવંતભાઇ જનાણી

જેતપુરના ભીડભંજન મંદિરે મળી ગયેલ બેઠકમાં વરણી

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં નવા સુત્રધારો રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની નવરચિત કાર્યવાહી સમિતિની ભીડભંજન મહાદેવ મંદિરે જેતપુર ખાતે તાજેતરમાં મળેલ બેઠકમાં સને ર૦૧૯-ર૦ વર્ષ માટેના મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.

જેમાં જાણીતા સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણીને સર્વાનુમતે પ્રમુખ તરીકે ફરી ચૂંટી કાઢવામાં આવ્યા હતા. મંડળના બે ઉપપ્રમુખોમાં નિવૃત બેંક ઓફીસર જયવંતભાઇ ચોવટીયા(રાજકોટ) અને જેતપુરના જાણીતા સામાજિક અગ્રણી ગુણવંતભાઇ ધોરડાનો સમાવેશ થાય છે. જયારે મહામંત્રી તરીકે રાજકોટના ઉત્સાહી કાર્યકર્તા રાજેશભાઇ ગોંડલિયા કામ કરશે.

બે મંત્રીઓમાં આર.વી. સોલંકી ી(રાજકોટ) અને રસીદભાઇ કાજી (કોટડાસાંગાણી) તથા ખજાનચી તરીકે પરેશભાઇ જનાણી અને મુખ્ય સંયોજક તરીકે એડવોકેટ હિંમતભાઇ લાબડીયા (લીગલ) તથા દિલીપભાઇ કલોલા (પ્રોગ્રામ)નો સમાવેશ થાય છે.

કાયવાહક સમિતિના સભ્યોમાં રાજેન્દ્રસિંહ જાડેજા, નટવરસિંહ ચૌહાણ, જે.ડી. બાલધા(ધોરાજી) હસમુખભાઇ સોજીત્રા (ઉપલેટ), મુકેશભાઇ પારેખ, હીનાબેન કનેરિયાનો સમાવેશ થાય છે. આજની આ બેઠકમાં કો-ઓપ્ટ સભ્યો તરીકે પ્રનંદભાઇ કલ્યાણી અને ગજુભા ઝાલાની વરણી કરવામાં આવેલ.

નવા ચુંટાયેલા હોદ્દેદારોનેસીટી યુનિટના પ્રમુખ મહેશભાઇ મહેતા વિવિધ તાલુકાઓના સંયોજકો સર્વશ્રી ગોરધનભાઇ રોજાસરા (વિંછીયા), મનસુખભાઇ મેઘપરા (રાજકોટ), કિશોરભાઇ રાઠોડ (ધોરાજી), જગદીશભાઇ પાંભર (જેતપુર), સલીમભાઇ પતાણી (કોટડાસાંગાણી), મનસુખભાઇ કનેરિયા (ઉપલેટા) અને અશોકભાઇ મહેતા (જસદણ) વિગેરેએ અભિનંદન આપ્યા હતા.

(3:51 pm IST)