Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ભગવતીપરાની ૧૭ વર્ષની મુસ્લિમ બાળા ગૂમઃ અપહરણનો ગુનો

રાજકોટઃ ભગવતીપરા જયપ્રકાશનગર સદ્દગુરૂ પાર્ક સોસાયટી-૪માં રહેતી નાઝનીન (ઉ.૧૭) શુક્રવાર મોડી રાતથી શનિવાર વહેલી સવાર સુધીમાં ઘરેથી ગાયબ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગુમ થવાના કિસ્સામાં સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર તેણીના માતા જીન્નતબેન અનવરભાઇ જુણેજા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધાયો છે. બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)