Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આશાપુરા માતાજી મંદિરે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ

રાજકોટઃ કુમકુમ ગ્રુપ દ્વારા ઉનાળામાં ધોમધખતા તડકામાં મુંગા પશુ- પંખીઓને આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ૧હજારથી વધુ પાણીનાં કુંડા અને ચકલાઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં જીવદયાપ્રેમીઓએ લાભ લીધો હતોે. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા તેમજ દેવાંગભાઈ માંકડ, રક્ષાબેન બોળિયા, જે.પી. ધામેચા, દોમડીયાભાઈ વિગેરે હાજર રહ્યા હતા. કુમકુમ ગ્રુપના આ સેવા યજ્ઞમાં મનોજભાઈ પટેલ, રાજદિપસિંહ જાડેજા (વાવડી), અશોક જાદવ, ભાવેશ સાંગાણી, રાજુભાઈ પ્રજાપતિ, સુરેશ લાખાણી, ભરત ઈલાણી, સુરેશ બોરીચા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)