Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

લોખંડના એંગલ બાબતે પૂછવા જતા નરેશભાઇને મોટાભાઇ અશોકે મારમાર્યો

કોઠારિયા રોડ લાપાસરી રોડ નવદુર્ગા મંદીર પાસે બનાવઃ અશોક સોલંકી સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૮: કોઠારિયા રોડ રણુજા મંદીર સામે લાપાસરી રોડ પર લોખંડના એગલ બાબતે પૂછતા યુવાન પર તેના મોટાભાઇએ પાવડાના ધોકાથી મારમાર્યાની ફરિયાદ થઇ છે.

 

મળતી વિગત મુજબ લાપાસરી રોડ નવદુર્ગા મંદીર પાસે શેરી નં.૨માં રહેતા નરેશભાઇ જીવરાજભાઇ સોલંકી (ઉ.વ.૩૫) ગઇકાલે ઘરે હતા. ત્યારે ઘરના ફળીયામાં લોખંડની એંગલ પડેલ હોઇ, જે એંગલ બાબતે પિતાને પૂછતા મોટોભાઇ અશોક સોલંકી ત્યાં આવતા તેને પણ એંગલ બાબતે પૂછતા અશોકે ઉશ્કેરાઇને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસે અશોક સોલંકી વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ સી.એસ.પટેલે તપાસ આદરી છે.

(2:45 pm IST)