Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કેવીન જીવરાજાની - સમર્થ વ્‍યાસ અને યુવરાજ ચુડાસમાની રાષ્‍ટ્રીય લેવલે પસંદગી

ત્‍વરીત બેંગલોર મોકલવા સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશો.ને જાણ

રાજકોટ તા.૮: રાજકોટના તરવરિયા ક્રિકેટર કેવીન જીવરાજાની, સમર્થ વ્‍યાસ અને યુવરાજ ચુડાસમાની નેશનલ અકાદમીમાં પસંદગી થતાં ઉકત ત્રણેયનાં શુભેચ્‍છકોમાં હર્ષની લાગણી ફેલાવા સાથે ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશો.ના માનદ મંત્રીને નેશનલ ક્રિકેટ એશો. દ્વારા લેખીત જાણ કરી ત્રણેય જુનિયર ક્રિકેટરોને આ બાબતે માહિતગાર કરીતેઓને બેંગલોર મોકલવા તૂર્ત કાર્યવાહી કરવા સૂચવ્‍યું છે.

ક્રિકેટ રસિકોમાંથી સાંપડતી માહિતી મુજબ સમર્થ વ્‍યાસ રણજી ટ્રોફી તથા કેવીન જીવરાજાની અન્‍ડર-ર૩ ટીમના સભ્‍ય છે, જયારે યુવરાજ ચુડાસમા ભાવનગર તરફથી સૌરાષ્‍ટ્રની ટીમમાં બોલર તરીકે ખ્‍યાતિ ધરાવે છે.

કેવીન જીવરાજાની સૌરાષ્‍ટ્રના જાણીતા આયુર્વેદ નિષ્‍ણંત તથા વેઇટલોસ્‍ટ પધ્‍ધતિના તજજ્ઞ તરીકે જાણીતા ડો. સંજય જીવરાજાનીના સુપુત્ર છે.

(11:11 am IST)