Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉનની મંદિરોમાં પણ અસર

 રાજકોટ : આજે હનુમાનદાદાની જન્મજયંતિ છે. દર વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હનુમાન જયંતિએ શોભાયાત્રા, બટુક ભોજન, સુંદરકાંડના પાઠ સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના પગલે તમામ મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે. સૌ ભાવિકોને ઘરે રહી જ પૂજાપાઠ કરવા અનુરોધ કરાયો છે અને આજના બાલાજીના દર્શન - આરતી સોશ્યલ મીડિયામાંથી જ કરી લેવા હનુમાનજી મંદિરોના પૂજારીઓ દ્વારા અપીલ કરાઈ છે. ઉપરોકત તસ્વીરમાં અહિંના સુપ્રસિદ્ધ બાલાજી મંદિરે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. વચ્ચેની તસ્વીરમાં આજના બાલાજીદાદાના દર્શન નિહાળી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:50 am IST)