Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા શહીદોના પરિવાર માટે રૂ. ૪.૬૬ લાખનો ચેક કલેકટરને અર્પણ

રાજકોટઃ. ગત ફેબ્રુઆરી માસમાં જમ્મુના પુલવામા આતંકવાદી હુમલામાં દેશના શહીદ થયેલ જવાનોના પરિવારને મદદરૂપ થવાના હેતુથી કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓએ પોતાનું એક માસનું માનદ વેતન રૂ. ૪.૬૬ લાખ આજ રોજ સીઆરપીએફના જવાનોના વેલ્ફેર ફંડના નામનો ચેક જીલ્લા કલેકટરને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, ગીતાબેન પૂરબીયા, દિલીપભાઈ આસવાણી, ગાયત્રીબા વાઘેલા, રેખાબેન ગજેરા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઈ હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, મારૂબેન હેરભા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, ઘનશ્યામસિંહ એન. જાડેજા, જયાબેન ટાંક, નીલેશભાઈ મારૂ, મેનાબેન જાદવ સહિતના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવ્યું હતું.

(3:58 pm IST)