Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નંદાણી પરિવારના સહયોગથી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞઃ ૨૭૨ દર્દીને દ્રષ્ટિપ્રદાન

રાજકોટઃ રમેશભાઇ નંદાણીના જન્મદિવસ નિમિતે, હસ્તે દર્શનભાઇ નંદાણી તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧૭મો સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૨૭૨ દર્દી ભગવાને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:54 pm IST)