Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

એસઓજીએ હદપાર ભંગમાં સબબ મનિષ, તોૈફિક અને જાહિદને પકડયા

ગાંધીગ્રામ, રૈયાધાર અને રસુલપરામાં કાર્યવાહી

રાજકોટ તા. ૮: એસઓજીએ ડ્રાઇવ દરમિયાન ત્રણ હદપાર શખ્સોને પકડી લીધા હતાં. ગાંધીગ્રામ લાખના બંગલા પાછળ કષ્ટભંજન મેઇન રોડ પર રહેતાં મનિષ ગિરીશભાઇ પાઉં (ઉ.૨૦), રૈયાધાર પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં રહેતાં તોૈફિક બસીરભાઇ મેમણ (ઉ.૩૫) તથા કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં રહેતાં જાહીદ સિદીભાઇ બ્લોચ (ઉ.૪૯)ને હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા અને જેન્તીગીરી ગોસ્વામીની બાતમી પરથી તેના રહેણાંક પાસેથી પકડી લીધા છે. ત્રણેય સામે જીપીએકટ ૧૪૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા, બી. કે. ખાચર, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ, બ્રીજરાજસિંહ ઝાલા, નિખીલભાઇ પિરોજીયા, યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)