Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કણકોટ મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીએ રૂદ્રાભિષેક પૂજન

રાજકોટઃ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલ કણકોટ ખાતે શાંત અને રમણિય શ્રી મહાકાલેશ્વર મંદિર ખાતે શિવરાત્રીએ રાત્રીના પ્રહરે રૂદ્રાભિષેક પૂજન સાથે શિવસહસ્ત્ર નામ જાપ સાથે પૂજન-મહાઆરતી અને આકર્ષક પૂષ્પ શણગાર કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં દર્શાય છે. આ રૂદ્રાભિષેક પૂજનનો ધર્મલાભ નિલેષ ઉનડકટ (લાલો), હિરેન ટાંક, કનકકુમાર લાખાણી, આશિષ પટેલ, તુષાર પાડલિયા વગેરેએ લીધો હતો.

(3:47 pm IST)