Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સર્વોદય વાલ્મીકી સમાજ પંચ દ્વારા કાલે સમુહલગ્ન સમારોહ : ૧૬ યુગલો જોડાશે

રાજકોટ તા. ૮ : સર્વોદય વાલ્મીકી સમાજ પંચ સમુહ લગ્ન સમિતિ દ્વારા કાલે તા. ૯ ના શનિવારે પાંચમાં સમુહલગ્ન સમારોહનું આયોજન કરાયુ છે.

શાસ્ત્રી મેદાન, લીંબડા ચોક ખાતે આયોજીત આ મંગલ અવસરે ૧૬ યુગલો સમુહમાં લગ્નગ્રંથીથી જોડાશે. સવારે ૮ વાગ્યે જાનના સામૈયા અને ૯ વાગ્યે હસ્તમેળાપ થશે. ૧૦ વાગ્યે ઉપસ્થિત મહેમાનો અને દાતાઓનું સ્વાગત સન્માન અને પ્રવચનો થશે.

આ મંગલ પ્રસંગે સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, કલેકટર શ્રી ગુપ્તા, યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સુરેન્દ્રનગર પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નાગરીક બેંક ચેરમેન નલીનભાઇ વસા, ડીરેકટર કલ્પકભાઇ મણીયાર, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા વગેરે ઉપસ્થિત રહી વર કન્યાને આશીર્વચનો આપશે.

સમસ્ત વાલ્મીકી સમાજે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા દાતા પરિવારના સમાજ સેવક કાળુભાઇ કેશુભાઇ વાઘેલા અને ભગવાનભાઇ ભીખાભાઇ શીંગાળાએ અનુરોધ કરેલ છે. મહોત્સવની વિશેષ માહીતી માટે મો.૯૯૦૪૬ ૬૭૫૨૨ અને મો.૯૭૨૩૪ ૫૦૯૫૬ ઉપર સંપર્ક કરી શકાય છે. (૧૬.૫)

 

(4:01 pm IST)