Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જૂનાગઢમાં લગ્નમાં ગયેલા પરિવારનાં મકાનમાં ધોળા દિવસે તસ્કરો ખાબકયા

રોકડ સહિત રૂ. ૮૬ હજારની મત્તાની ચોરી

જૂનાગઢ તા.૮: શહેરમાં હમણાં તસ્કરોએ પડાવ કર્યો હોય તેમ ગાયત્રી મંદિરમાં થયેલી ચોરીનાં તસ્કરો હજુ પકડાયા નથી ત્યાં જગદીશ મનહરભાઇ મદનાણીનાં ફલેટમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

શહેરમાં લક્ષ્મીનગર ખાતેનાં એોમ નમઃ શિવાય એપાર્ટમેન્ટનાં પહેલા માળે બ્લોક નં. ૧૦૧માં રહેતા જગદીશભાઇ મદનાણી તા. ૬ના રોજ ફલેટને તાળા લગાવીને પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતાં. ત્યારે સવારનાં ૭ થી બપોરનો બે વાગ્યા સુધી બંધ રહેલા ફલેટનાં દરવાજના તાળા તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતાં.

બાદમાં કબાટના તાળા તોડીને રૂ. ૮૦ હજારની રોકડ, ચાંદીના ગણેશ, વાટકો અને સાંકળા સહિત રૂ. ૮૬ હજારની કિંમતના મુદ્દામાલનો હાથફેરો કરીને તસ્કરો નાસી ગયા હતાં.

આ અંગે બી ડીવીઝન પોલીસે ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.(૧.૨૦)

(3:58 pm IST)