Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'આયુષ્માન ભારત માં અમૃતમ યોજનાના યોજાનાર મેગા કેમ્પના સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ અધિકારીઓ..

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' અને 'મુખ્યમંત્રી માં અમૃતમ'માં વાત્સલ્ય યોજનાના યોજાનાર મેગા કેમ્પની કામગીરી પુરજોસમાં ચાલી રહેલ છે જેના અનુસંધાને આજ તા.૦૮/૦૨/૨૦૧૯ના રોજ ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડે.કમિશનર સી.કે.નંદાણી, ડો.ચુનારા વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ હતી. આ સ્થળ મુલાકાત અંતર્ગત પદાધિકારીઓએ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.(૨૩.૧૪)

(3:53 pm IST)