Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

તીર્થધામ જવા નિઃશુલ્ક બસ સેવાનું ૨૧ વર્ષથી સફળ સંચાલન કરતા મયુર શાહ

પૂ. રતિલાલજી મ.સા.ના અનન્ય ભકત દ્વારા ગુરૂદેવની પૂણ્યતિથીએ

પૂ. રતિલાલજી મ.સા.ના અનન્ય ભકત દ્વારા ગુરૂદેવની પૂણ્યતિથીએરાજકોટઃ  ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના તપસમ્રાટ પૂ. ગુરૂદેવ રતિલાલજી મહારાજના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર સાત હનુમાન મંદિરની સામે આવેલ સમાધી સ્થળ તીર્થધામ ખાતે પૂ. ગુરૂદેવની પૂણ્યતિથીએ એચ.જે.સ્ટીલ્સ પરિવારનાં વિનોદભાઇ દોશીનાં આર્થીક સહયોગથી છેલ્લા ૨૧ વર્ષથી રાજકોટનાં વિવિધ ઉપાશ્રયો અને અન્ય પોઇન્ટ ઉપરથી તીર્થધામ જવા આવવા માટે વિનામૂલ્યે બસ સેવા સમર્પિત કરાય છે.

આ બસ સેવા ગુરૂદેવ ના અનન્ય ભકત અને સુશ્રાવક મયુરભાઇ શાહ દ્વારા સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવે છે. તેમનાં આ સેવા કાર્યની અગ્રણીઓ અને ભાવિકો દ્વારા અનુમોદના થઇ રહી છે. આ વ્યવસ્થામાં સદર ઉપાશ્રયનાં વિમલભાઇ શેઠનો પણ સહકાર મળી રહ્યો છે. (૪૦.૪)

 

(3:42 pm IST)