Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જામનગર રોડ પરના હા. બોર્ડ કવાર્ટરની અંકિતા સતવારાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૬: જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી અંકિતા મહેશભાઇ કણઝારીયા (સતવારા) (ઉ.૧૬) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્યુ પામનાર અંકિતા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. અંકિતાને લાંબા સમયથી હૃદયની તકલીફ હતી. ગત રાત્રે અચાનક બેભાન થઇ ગઇ હતી અને હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(2:34 pm IST)