Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભાજપ માટે 'સમર્પણ' કરોઃ રૂ. ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ના કુપનઃ સોમવારથી નીધિ અભિયાન

રાજકોટ શહેરને ૭૫ લાખ, જિલ્લાને ૩૫ લાખનો લક્ષ્યાંક

રાજકોટ, તા. ૮ :. ગુજરાતમાં ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિન ૧૧ ફેબ્રુઆરીથી અઠવાડીયા માટે સમર્પણ નીધિ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. પાર્ટીના કાર્યકરો અને શુભેચ્છકો પાસેથી પાર્ટીના સંચાલનના ખર્ચ પેટે નીધિ એકત્ર કરવામાં આવશે.

ભાજપે રૂ. ૫૦૦, ૧૦૦૦ અને ૨૦૦૦ના કુપનની બુક બહાર પાડી છે. નિયત રકમમાં કોઈપણ કાર્યકર કે શુભેચ્છક પોતાનો ફાળો આપી શકશે. જો ૨૦૦૦થી વધુ રકમ એક જ નામથી આપવા માંગતા હોય તો ચેકથી નાણા આપવાના રહેશે. સમર્પણ નીધિ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં મળી પાર્ટી કરોડો રૂપિયા ભેગા કરવાનો લક્ષ્યાંક રાખે છે. રાજકોટ શહેરને ૭૫ લાખ અને જિલ્લાને રૂ. ૩૫ લાખનો લક્ષ્યાંક અપાયાનું જાણ વા મળે છે. ભાજપમાં દર ત્રણ વર્ષે આવુ અભિયાન થતુ હોય છે. ગયા વખતે ૩ વર્ષ પુરા થયા ત્યારે કોઈ કારણસર અભિયાન થયેલ નહિ તેથી આ વખતે ૬ વર્ષ બાદ સમર્પણ નીધિ અભિયાન શરૂ થઈ રહી છે. પાર્ટીની બદનામી થાય તેવી રીતે નાણાના ઉઘરાણા નહીં કરવા તાકીદ કરાયાની ચર્ચા છે.(૨-૮)

(11:41 am IST)