Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ફલાવર-શોમાં બગીચાનો કચ્ચરઘાણઃ હવે લાખોના ખર્ચે મરામત થશેઃ કોંગ્રેસ

પ્રજાના રોષ બાદ બગીચામાં પ્રવેશબંધી દુર કરવી પડીઃ સાગઠીયા-રાજાણી

રાજકોટ, તા., ૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ બગીચામાં યોજાયેલ ફલાવર-શોનાં કારણે બગીચાનો કચ્ચરઘાણ નિકળી ગયાનો અને હવે લાખોના ખર્ચે બગીચામાં સમારકામ થઇ રહયાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા તથા કોર્પોરેટર અતુલ રાજાણીએ કર્યો છે.

આ અંગે બંન્ને કોંગી અગ્રણીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફલાવર-શો બાદ બગીચામાં ગંદકી અને ફુલછોડને નુકશાની બાકડાઓમાં નુકશાની સહીતની બાબતો બહાર આવી છે. હવે આ બગીચામાં મરામત થઇ રહી છે.

અંતમાં બન્ને આગેવાનોએ જણાવ્યું હતું કે ફલાવર શો પુર્ણ થયાના ત્રણ દિવસ બાદ પણ સામાન્ય નાગરીકોને બગીચામાં પ્રવેશબંધી રખાતા કોંગ્રેસ દ્વરા આ મુદ રજુઅ કરવામાં આવી હતી અને અંગે પ્રજાનો વિજય થયો છે. કેમ કે બગીચામાં લોકો માટે પ્રવેશ શરૂ કરી દેવાયો છે.(૪.૧૯)

 

(4:52 pm IST)