Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સરસ્વતી વિદ્યામિંદરમાં વિજ્ઞાનપ્રવાહના અભ્યાસક્રમની મંજુરી

રાજકોટ,તા.૮: સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ (મારૂતિનગર) ખાતે નવા સત્રથી ધો.૧૧/૧૨ વિજ્ઞાનપ્રવાહનાં અભ્યાસક્રમની શરૂઆત થશે એવું સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીયાર તરફથી જણાવવામાં આવ્યું છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં આગામી અભ્યાસસત્રથી ગુજરાતી માધ્યમમા વિજ્ઞાનપ્રવાહની મંજુરી મળતા વિદ્યાર્થીઓને હવે સામાન્યપ્રવાહ ઉપરાંત વિજ્ઞાનપ્રવાહનું શિક્ષણ પણ માતૃભાષામાં મળી રહેશે. તાજેતરમાં સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીયારે ગુજરાત રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સાથે મુલાકાત કરી સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો.

(4:44 pm IST)