Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અર્થે નિરિક્ષણ

રાજકોટ : શહેરની પં. દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પટલમાં ભારતીય સ્વચ્છતા મિશન અભિયાન તળે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયાના નેતૃત્વમાં વિવિધ વિભાગોનું નીરીક્ષણ કરી જરૂરી પગલાની સુચનાઓ અપાઇ હતી. કમ્પાઉન્ડ અને વિવિધ વોર્ડની લેવાયેલ આ મુલાકાત દરમિયાન સીવીલ હોસ્પિટલના કાઉન્સીલર જયંત ઠાકર, મેડીકલ કોલેજના ડીન ડો.યોગેશ ગોસ્વામી, હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા (મો.૯૮૨૫૯ ૩૫૪૬૫), અન્ય મેડીકલ કોલેજના ડો. ગૌરવીબેન ધ્રુવ વગેરે સ્ટાફગણ સાથે રહેલ. ઓપીડી, ઇમરજન્સી, બ્લડ ડોનેશન વિભાગ તેમજ સારવાર લઇ રહેલ દર્દીઓની મુલાકાત લઇ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.

(4:35 pm IST)