Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પ્રજાપતિ કલીનીક- શિવશકિત ગ્રુપ આયોજીત રકતદાન કેમ્પમાં ૩૩૬ બોટલ રકત એકત્ર

રાજકોટ : પ્રજાપતિ કલીનીકના ડો.અલ્પેશ મોરઝરીયા તથા શિવશકિત ગ્રુપના ઘનશ્યામસિંહ ઝાલા તેમજ પ્રદિપસિંહ ઝાલા (ભોંયકા) વિકાસ એન્ટરપ્રાઈઝના પ્રતિપાલ સિંહ ઝાલા દ્વારા ગાંધીગ્રામ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ભારતીયા જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ તથા કોર્પોરેટર શ્રીમતી અંજનાબેન અલ્પેશભાઈ મોરઝરીયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી મેયર શ્રી જૈમનભાઈ ઉપાધ્યાય, માંધાતાસિંહજી, દેવાંગભાઈ માંકડ, પી.બી.જાડેજા રાજકોટ વિક્રમભાઈ પૂજાર,જયદિપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, હિતેષભાઈ મારૂ, પૃથ્વીસિંહ વાળા, જયરાજસિંહ હાજર રહયા હતા. રકતદાન કેમ્પમાં કૂલ ૩૩૬ બોટલ રકત એકત્રીત થયું હતું. જે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં  આપવામાં આવ્યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:16 pm IST)