રાજકોટ, તા. ૮ : શાસ્ત્રીય સંગીતને લોક ભોગ્ય અને યુવાનોથી માંડીને તમામ ઉમરના લોકોને હિન્દુસ્તાની સંગીત સમીપ લાવવા, તેમજ સમાજમાં શાસ્ત્રીય સંગીત થકી સંસ્કાર ના ધડતર કરવાનુ લક્ષ્ય લઈને નીઓ રાજકોટ ફાઉન્ડેશન ચાલી રહી છે. તે ઉપરાંત સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન અયોજીત શાસ્ત્રીય સંગીતના મેદ્યધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮' કલા મહોત્સવ ના સાતમા અને અંતીમ દિવસે પં. ભજન સોપોરીએ સંતુરના સુર થી રંગ ભર્યા અને સુરમયી સપ્તાહની પૂર્ણાહુતી કરી હતી.
આ સાત દિવસના કાર્યક્રમોને માણવા લગભગ ૪૦૦૦ લોકોએ રસ દાખવ્યો હતો, જેમા રોજ સરેરાશ ૧૩૦૦ જેટલા લોકોએ સતત સાત દિવસ શિષ્તબદ્ધ રીતે, મનભરી આ કાર્યક્રમોને માણ્યા હતા. આ શાસ્ત્રીય સંગીતના મેઘધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮'માં મોહનવીણા વાદક પંવિશ્વમોહન ભટ્ટ, સિતાર વાદક અમિતા દલાલ, શાસ્ત્રીય ગાયક ઉ. રાશીદ ખાન, વાયોલીન વાદક ડો. એન. રાજમ, શાસ્ત્રીય ગાયીકા સુ. શુભામુદગલ, સિતાર વાદક પં. કુશાલ દાસ, તબલા વાદક ઉ. ફઝલ કુરેશી, અને સંતુર વાદક પં. ભજન સોપોરી જેવા દિગજજ અને પ્રથમ હરોળના કલાકારોની કલાનો લાભ રાજકોટવાસીઓને મળ્યો.
સાતમાં અને અંતિમ દિવસના ની સાંજ સ્વર અને સુર ના સંગાથે થઈ રસસભર. રાજકોટના નવોદિત કલાકારા ધ્વનિ વચ્છરાજાની એ તેમના કંઠય સંગીત અને પંડિત ભજન સોપોરીના સંતુર વાદને કર્યા રાજકોટવાસીઓને રસતરબોળ. કલા મહિત્સવના સાતમા દિવસની શરુઅત દીપ પ્રાગટય દ્વારા કરાઇ. જેમા પેટ્રન એંજલ પંપ ના શ્રી શિવલાલ અદરોજા અને જયોતિ સીએનસી પરિવારના શ્રી દ્યનશ્યામસિંહ અને સહદેવસિંહ જાડેજા પરિવાર, તેમજ કો-પેટ્રન પ્રો. ડો.મેધા મહેતા, કોટેચા સ્કુલના ભુતપૂર્વ પ્રિન્સીપાલ શ્રી વત્સલાબેન મહેતા અને ડો.અર્ચનાબેન દેસાઇ દ્વારા કરાયો.
કાર્યક્રમના પ્રથમ ચરણ માં રાજકોટના નવોદિત કલાકારા ધ્વનિ વચ્છરાજાની કે જેઓ શાસ્ત્રીય ગાયન ના (ઇંદોર ઘરાના) સારા કલાકારા છે. તેમણે MA કર્યું છે અને હાલમાં PhD કરી રહ્યા છે અને સંગીત માં તેઓ વિશારદ અને અલંકાર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અંગ્રેજી ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયેલા છે. તેઓ છેલ્લા ૧૭ વર્ષથી તેમના ગુરૂ પીયુબેન સરખેલ પાસેથી (ઇંદોર ઘરાના) સંગીતની તાલીમ મેળવી છે. તેઓએ તેમના સુરીલા કંઠનો પરિચય આપ્યો હતો. સપ્ત સંગીતિ જેવા મંચનો લાભ રાજકોટની ઉગતી નવોદિત પ્રતિભાઓને મળે તે માટે આ વખતે નીયો રાજકોટ ફાઉન્ડેશનના આયોજકો દ્વારા રાજકોટના કલાકારોને પણ આ વિશ્વ વિખ્યાત કલાકારો વચ્ચે થોડો સમય સ્ટેજ શેર કરવાની તક આપવાનુ સ્તુત્ય આયોજન કરાયુ. આમ કરવા પાછળનો આશય એવો છે કે દેશના યુવાધન ને શાસ્ત્રીય સંગીત તરફ લાવી શકાય અને જે કલાકારો આ ક્ષેત્રે કારકિર્દિ બનાવવા માંગે છે તેમને પ્રોત્સાહન મળે, અત્મવિશ્વાસ વધે અને મોટા મંચ ની તક સાંપડે. તેમની સાથે હારમોનીયમ પર સંગત કરી હતી, રાજકોટના જ યુવા સ્વરકાર અને વાદ્યકાર શ્રી પલાશ ધોળકીયાએ અને તેમના મોટા બંધુ શ્રી નિરજ ધોળકીયા એ તબલા પર સંગત કરી હતી. સૌ પ્રથમ ધ્વનિએ રાગ જોગમાં વિલંબીત ખયાલ ની બંદિશ 'ઓ બલમા' તાલ રૂપકમાં અને તરાના તીન તાલમાં રજુ કર્યો હતો. પછી સુંદર ભજન, 'મારો પ્રણામ બાંકે બિહારી' રાગ યમન કલ્યાણમાં રજુ કરી શ્રોતાઓની વાહ વાહી મેળવી હતી.
કાર્યક્રમાના દ્વિતીય ચરણ માં હિન્દુસ્તાની સંતુર વાદનના ખ્યાતી પ્રાપ્ત કલાકાર પદ્મ શ્રી પંડિત ભજન સોપોરી પ્રસ્તુત થયા હતા. શાસ્ત્રીય વાદ્ય સંગીતના લીવીંગ લેજન્ડ પંડિત ભજન સોપોરી ભારતના ટોચના સંતુર વાદક છે. તેઓ નો જન્મ કાશ્મીરના શ્રીનગરમાં, સંતુર વાદન ની ૩૦૦ વર્ષ જુની અનોખી પરંપરાગત શૈલી 'સુફિયાના ઘરાના'માં થયો હતો. તેઓ દેશના અન્ય ભાગો અને કાશ્મીર વચ્ચે સાંસ્કૃતિક જોડાણના સેતુ સમાન છે. તેઓ સારા સંતુર વાદક, કમ્પોઝર, સંગીતકાર, સંગીતાચાર્ય, લેખક, કવિ અને અસામાન્ય વ્યકિતત્વ છે. સંતુર ને દેશ અને દુનિયામાં એક સંપૂર્ણ એકલ વાદન વાદ્ય તરીકે પ્રસ્થાપીત કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમણે ૧૯૫૦ ના દાયકામાં, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ને સંતુર પર સમારહોમાં રજુ કરનાર પ્રથમ કલાકાર તરીકેનો ઇતિહાસ રચ્યો છે. તેમણે તેમની છ દાયકાની સંતુર સાધના દરમ્યાન સંતુર સંગીતના ઘણા નવા આયામો નુ અનવેષણ કર્યું છે, અને તેમા તેમનુ એક અનન્ય સર્જન રહ્યું છે, 'સોપોરી બાજ'નુ, જેમાં સંતુરને પદ્ધતિસર શાસ્ત્રીય સ્વરુપે વાદન કરાય છે. આ સોપોરી બાજ વાદ્યને ૪૪ તંતુઓ થી તેમણે બનાવ્યુ છે. તેમણે અભ્યાસમા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માં બેવડી અનુસ્નાસ્તક પદવીઓ મેળવી છે, જેમા સિતાર અને સંતુરમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું છે. તે ઉપરાંત તેમણે અંગ્રેજી સાહિત્યમાં પણ અનુસ્નાતક કરેલ છે. તેમણે અમેરીકા ની વોશીંગટન યુનિવર્સીટીમાંથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી છે. તેમની સાથે તબલા પર સંગત કરી હતી પં. મિથીલેશ કુમાર ઝા, તેઓ પં. ગોપીકુમારના શિષ્ય છે. બનારસ ઘરાનાના પં.બુલબુલ મહારાજ પાસે ઉચ્ચ્તર તાલીમ લીધી. તેઓ ૪૫ વર્ષથી તબલા વગાડે છે અને ઘણા એવોર્ડ મેળવ્યા છે. તેમને પખવાજ પર સંગત કરી હતી રીષીશંકર ઉપાદ્યાય કે જેઓ ૧૫મી પેઢીના પખવાજ વાદક છે.
પં. ભજન સોપોરીએ તેમના પર્ફોર્મન્સની શરુઆત સંતુર પર છેડયો ખુબ ઓછો પ્રચલિત અને મુશ્કેલ રાગ વાગદેશ્વરી. આ અગાઉ વર્ષો પહેલા પંડિત સ્વ.ત્યાગરાજજીએ એ આ રાગ વગાડ્યો હતો, ત્યારબાદ તેની રજુઆત ઓછી થઈ છે પણ આજે તે રાગ છેડી સોપોરીજી એ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ કર્ણાટકી બઢતકારીનો ભાગ રજુ કર્યો અને રાગ આધારીત સુરોની બઢત પોતે ગાઈ અને શ્રોતાઓ પાસે પણ ગવડાવી હતી. પછી રાગ ગાવતી ની શરૂઆત તબલા સાથે સંગત પર કરી. તેમણે લયકારીમાં જુગલબંદી રજુ કરી. ત્યારબાદ મઘલય એકતાલ માં તરાના રજુ કર્યો અને દર્શકો પાસે ગવડાવ્યુ. તબલા અને પખવાજ સાથે દ્રુત લય અને અતીદ્રુતલય માં અદભુત જુગલબંદી રજુ કરી દર્શકોની તાલીઓની પ્રસંશા મેળવી હતી. તેમને દર્શકોએ સ્ટેંડિંગ ઓવેશન આપી વધાવી લીધા હતા. આ સાતેય દિવસ દરમ્યાન કાર્યક્રમનુ અદભૂત કોંપેરીંગ નીયો રાજકોટના બને ડિરેકટરો દિપકભાઇ રિંડાણી અને વિક્રમભાઇ સંઘાણીએ કરી શ્રોતાઓની સરાહના મેળવી હતી.
કાર્યક્રમના અંતમાં કલાકારોનુ સન્માન નીયો રાજકોટના ટીમ મેમ્બર સહદેવભાઇ, અજય વસાવડા, નરેન્દ્રભાઇ, હેમંત શાપરીયા, રાહુલભાઇ, પરીષભાઇ જોષી, કેતનભાઇ કકકડ દ્વારા કરાયુ. સપ્ત સંગીતિ ૨૦૧૮ના નિર્વાણના દિવસે સર્વે ડિરેકટર શ્રીઓ સર્વે, દિપકભાઇ રિંડાણી, પરાક્રમસિંહ જાડેજા, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરિયા, મૌલેશભાઇ ઉકાણી અને અરવિંદભાઇ પટેલ એ તમામ ઉદાર દાતાઓ, તમામ નીસ્વાર્થ સ્વયંસેવકો ની ટીમ, અને રસીક રાજકોટના તમામ શાસ્ત્રીય સંગીતમ માણવા આવનાર શ્રોતાઓ, તેમજ તમામ મિડિયા અને અખબારો, તમામ એજન્સીઓ કે જેમણે આખા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.