Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

માધાપર ચોકડી પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં જયેશભાઇ મહેતાનું મોત

વેપારી રાતે ઘરે જતાં હતાં ત્‍યારે બનાવઃ વોડાફોનની ઓફિસના ચોકીદારે ૧૦૮ બોલાવી સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડયા પણ જીવ બચી શક્‍યો નહિ

રાજકોટ તા. ૭: માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ સર્વિસ રોડ પુલ નીચે રાત્રે બાઇક સ્‍લીપ થઇ જતાં વેપારીનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડી નજીક ડ્રીમવીલા એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને વેપાર કરતાં જયેશભાઇ નટવરલાલ મહેતા (ઉ.વ.૫૨) રાતે દસેક વાગ્‍યે ઘરે જતાં હતાં ત્‍યારે માધાપર ચોકડીથી મોરબી રોડ તરફના પુલ નીચે  કપચીના ઢગલા પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. નજીકમાં આવેલી વોડાફોનની ઓફિસના ચોકીદારે ૧૦૮ બોલાવી તેમને હોસ્‍પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો. જો કે જયેશભાઇએ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. સલિમભાઇ મકરાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:38 am IST)