Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

નારાયણનગરમાં પત્નિ સાથે ચડભડ થતાં દિનેશ કોળીનો ગળાફાંસો ખાઇ આપઘાત

ત્રણ માસુમ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૭: કોઠારીયા સોલવન્ટ પાસે નારાયણનગરમાં રહેતાં દિનેશ પાંચાભાઇ પંચાળ (ઉ.૩૫) નામના કોળી યુવાને છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પત્નિ સાથે ઘરખર્ચ બાબતે ચડભડ થતાં તેણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.

૧૦૮ના ઇએમટી વંદનાબેન સોલંકી મારફત બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને રાઇટર વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દિનેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. સાંજે પતિ-પત્નિ વચ્ચે નજીવી વાતે બોલાચાલી થતાં પત્નિ તેના સંતાનોને લઇને બહાર નીકળી ગઇ હતી.

બીજી તરફ દિનેશની દિકરીએ તેના દાદા પાંચાભાઇને ફોન કરી માથાકુટ થયાનું કહેતાં પાંચાભાઇ દોડી આવ્યા હતાં. દરવાજો તોડીને જોતાં દિકરો લટકતો જોવા મળ્યો હતો. દિનેશભાઇના આપઘાતની ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 

(11:36 am IST)