Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન સંપન્ન

ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિમંડળના નું સ્નેહ મિલન કાર્યક્રમના અતિથિ વિશેષ સ્વામિ પરમાત્માનંદ સરસ્વતિજી નું સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઇ દવેએ સ્વાગત કરેલ તથા ગજેન્દ્રભાઇ જોશીએ શાલ અર્પણ  કરેલ.સ્વામીજીના  હસ્તે જ્ઞાતિરત્ન ભરતભાઇ ભટ્ટને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ આ તકે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરષ્કાર આપી સન્માન કરવામાં આવેલ  રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઉમેશભાઇ ઠાકર હસ્તે પુરષ્કાર આપવામાં આવેલ. મહિલા પાંખના બહેનો દ્વારા મધૂરાષ્ટક અને ગરબો રજુ કરવામાં આવેલ.  સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શિતભાઇ જાની તથા કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડયાએ સ્નેહ મિલનમાં હાજર રહ્યા હતા.  શ્રી પાર્થ પંકજભાઇ વ્યાસે પ્રવચન આપેલ. યુવા પ્રતિભા કલાકાર જય એમ. દવે  દ્વારા લાઇવ પોર્ટ્રેઇટ પેઇન્ટિંગ સ્ટેજપર રજુ કરવામાં આવેલ. અમદાવાદ અને જામનગર જ્ઞાતિમંડળના હોદ્દેદારો હાજર રહેલ રાત્રીભોજન બાદ કાર્યક્રમ સંપન્ન થયેય તે પ્રસંગની તસ્વીરી ઝલક

(3:46 pm IST)