Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

પરાબજારમાં ભંગારના ધંધાર્થી મહમદ સંઘારનો દૂકાનમાં આપઘાત : વ્યાજખોરો હેરાન કરતા હોવાનો પિતાનો આક્ષેપ

રામનાથપરાના યુવાનના મોતથી પરિવારમાં માતમ : આક્ષેપ અંગે પોલીસ તપાસ

રાજકોટ તા. ૭ : શહેરના રામનાથપરામાં રહેતા ભંગારના ધંધાર્થીએ પરાબજારમાં પોતાની દુકાનમાં કીડી મારવાનો પાવડર પી લેતા તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. ૫માં રહેતા મહંમદભાઇ અલ્તાફભાઇ સંઘાર (ઉ.વ.૩૨) બે દિવસ પહેલા પોતાની પરાબજારમાં આવેલી નેશનલ સ્ક્રેપ નામની દુકાને હતા ત્યારે તેણે કીડી મારવાનો પાવડર પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક મહંમદભાઇ બેભાઇ અને એક બહેનમાં મોટા હતા. આ બનાવમાં તેના પિતા અલ્તાફભાઇએ જણાવ્યું હતું કે, પોતે ઘરે હતા ત્યારે પુત્ર મહંમદભાઇનો ફોન આવેલ કે 'હું બહાર જાવ છું ઘરે મોડો આવીશ' તેમ તેણે જણાવ્યું હતું. થોડીવાર બાદ તેનો ફોન આવતા તેણે કહ્યું હતું કે, 'પોતે કીડી મારવાનો પાવડર પી લીધો છે.' પોતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે હોવાનું જણાવતા પોતે તુરંત જ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી પુત્ર મહંમદભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પુત્ર મહંમદભાઇએ વ્યાજખોરોના ત્રાસથી આ પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની જાણ થતા એ-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ ટી.ડી.ચુડાસમા તથા રાઇટર દિનેશભાઇએ યુવાને કરેલા આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)