Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

શ્રી રણછોડદાસજી બાપુનો આશ્રમ કાલે ચંદ્રગ્રહણ નિમિતે બંધ રહેશે

રાજકોટ તા. ૭ : સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ સંચાલિત શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે કાલે તા. ૮ ના મંગળવારે ચંદ્રગ્રહણ  નિમિતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. કાલે ગ્રહણ સ્‍પર્શ બપોરે ૨.૩૯ મીનીટે અને મોક્ષ સાંજે ૬.૧૯ મીનીટે ે. જેથી નિજ મંદિરમાં આરતી વહેલી સવારે ૫ વાગ્‍યે થશે. ત્‍યાર બાદ રાત્રે ૮ વાગ્‍યા સુધી મંદિર બંધ રહેશે. રાત્રીની આરતી ૧૦.૩૦ વાગ્‍યે થશે. જેની સર્વે ધર્મપ્રેમીજનો ગુરૂ ભકતોએ નોંધ લેવી. તેમ સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)