Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

બાલસરની ઓશો વાટીકામાં શનિવારથી ‘ઓશોનો માઇન્‍ડ મેડીટેશનથેરાપી' શીબીર

રાજકોટ તા.૭: અહીનાં કાલાવડ રોડ પર ૧૭ કી.મી દૂર બાલસર ગામ પાસે ઓશોનો માઇન્‍ડ મેડિટેશન થેરાપીનું રહેવા જમવાની ફેસેલીટી ધરાવતી જગ્‍યા ઓશો વાટીકામાં આયોજન કરવામાં આવેલ છે.

ઓપનીંગ તા.૧૨ શનિવારે સાંજે ૬.૦૦ કલાકે સમાપન તા.૧૯ના શનિવારે બપોરે ૨ કલાકે થશે. સંચાલન માંધ્‍યાન આભા સ્‍વામી આંતર જગદીશ સંભાળશે.

આજના આધુનિક યુગમાં સરળતાથી ધ્‍યાનમાં પ્રવેશવાની વિધિઓ આ શનિવાર દરમિયાન કરાવાશે વિશેષ માહિતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવા સ્‍વામી સંજય સરસ્‍વતીની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)