Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

હસનવાડીમાં કેતન કંડોલીયાએ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

ખાંટ યુવાન સીએનસી ઓપરેટર તરીકે કામ કરતો હતોઃ કારણ અકળ

રાજકોટ તા. ૭: હસનવાડી ત્રિશુલ ચોક શેરી નં. ૨માં રહેતાં કેતનભાઇ મેરામભાઇ કંડોલીયા (ખાંટ રજપૂત) (ઉ.વ.૩૬) નામના યુવાને ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

પત્‍નિ જીજ્ઞાબેન સવારે પાણી ભરવા માટે જાગ્‍યા ત્‍યારે પતિને નીચેના રૂમમાં લટકતાં જોતાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કેતનભાઇ એક બહેનથી મોટા હતાં. સ઼તાનમાં એક પુત્ર છે. પોતે ફેક્‍ટરીમાં સીએનસી ઓપરેટર તરીકે કામ કરતાં હતાં. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:35 pm IST)