Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ઇન્ડિયન પાર્કમાં ૨૦ વર્ષની વંશીતા પરમારનો ફાંસો ખાઇ આપઘાત

ઘરે બેઠા કોલેજની પરિક્ષાની તૈયારી કરતી હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૭: રૈયા રોડ પર પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમ નજીક ઇન્ડિયન પાર્કમાં રહેતી વંશીતા મહેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

વંશીતાએ સાંજે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. કુલદિપસિંહ ચુડાસમા અને જયેશભાઇ ચોૈહાણે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વંશીતા એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી અને ઘરે બેઠા કોલેજની પરિક્ષાની તૈયારી કરતી હતી. તેના પિતા હયાત નથી. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરીના આ પગલાથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(3:28 pm IST)