Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટ શહેર-જીલ્લામાંથી ૩ દિવસમાં ૧૬ હજાર હોર્ડિંગ્‍ઝ-બોર્ડ-ઝંડી-દિવાલ લખાણો દૂર કરાયા : તંત્ર થાકી ગયુ

રાજકીય પક્ષોએ દિવાલો ભરી મુકી હતી : જ્‍યાં ત્‍યાં પોસ્‍ટર્સ લગાડી દીધા હતા : બધુ ઉતારી લેવાયુ : આચારસંહિતા ભંગ સહિતની બાબતોની જાણ-ફરિયાદ માટે હેલ્‍પ લાઇન નંબર - ૧૮૦૦૨૩૩૦૩૨૨ જાહેર કરાયા

રાજકોટ,તા.૭ : રાજકોટ શહેર-જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્‍તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરતી આદર્શ આચારસંહિતા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ૧૬ હજારથી વધુ  પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ આવી નથી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્‍ત અમલ કરાઈ રહ્યો છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. ખાચરના નિરિક્ષણમાં આદર્શ આચારસંહિતા સમિતિના રાજકોટ શહેરના નોડલ અધિકારી આશિષકુમાર તથા રાજકોટ ગ્રામ્‍યના નોડલ અધિકારીશ્રી ઈલાબહેન ચૌહાણની ટીમ દ્વારા પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં (૬ નવેમ્‍બર સાંજ સુધીમાં) જાહેર સ્‍થળો, સરકારી મિલકતો પરથી દિવાલો પરના ૭૮૫૯ લખાણો ભૂંસી નંખાયા છે, તો ૧૪૦૪ પોસ્‍ટર્સ તથા ૩૬૫૩ બેનર્સ તેમજ ૨૧૬૮ જેટલી અન્‍ય પ્રચારાત્‍મક સામગ્રી મળીને કુલ ૧૫૦૮૪ સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્‍યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ ૪૫૮ દિવાલ પરના લખાણો, ૩૪૧ પોસ્‍ટર્સ, ૩૫૦ બેનર્સ, ૧૬૫ અન્‍ય મળીને કુલ ૧૩૧૪ જેટલી પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે.

આચાર સંહિતા અમલી બન્‍યાના ત્રણ દિવસની અંદર રાજકોટ પૂર્વ-૬૮ વિધાનસભા વિસ્‍તારમાંથી સરકારી મિલકતો પરથી કુલ ૨૦૨૯ જ્‍યારે ખાનગી મિલકતો પરથી ૨૩ પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરાઈ છે. રાજકોટ પヘમિ-૬૯ વિધાનસભા ક્ષેત્રેમાંથી સરકારી મિલકતો પરથી ૧૬૦૨ જ્‍યારે ખાનગી મિલકતો પરથી ૪૭, રાજકોટ દક્ષિણ-૭૦ વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૩૨૨૨ જ્‍યારે ખાનગી મિલકતો પરથી ૨૦૮, રાજકોટ ગ્રામ્‍ય-૭૧ વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૧૨૮૮ તથા ખાનગી મિલકતો પરથી ૮૩, જસદણ-૭૨ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૭૪૦ તથા ખાનગી મિલકતો પરથી ૩૭૬, ગોંડલ-૭૩ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૧૫૯૯ તથા ખાનગી મિલકતો પરથી ૫૦, જેતપુર-૭૪ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૩૪૨૦ તથા ખાનગી પરથી ૨૮૯, જ્‍યારે ધોરાજી-૭૫ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૧૧૮૪ અને ખાનગી મિલકતો પરથી ૨૩૮ જેટલી પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરાઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતા ભંગ સહિતની બાબતોની જાણ માટે હેલ્‍પલાઈન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૩૨૨ જારી કરવામાં આવ્‍યો છે.

(3:28 pm IST)