Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

સાવરકુંડલાના વંડા ગામે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી જગદીશભાઇ પર પાડોશીનો હુમલો

યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો : અશોક, ભરત, ધીરૂ, ઘનશ્‍યામ અને વિઠ્ઠલ સામે ફરિયાદ નોંધાવા તજવીજ

રાજકોટ,તા. ૭ : સાવરકુંડલાના વંડાગામમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી યુવાનને ગામમાં રહેતા પાંચ શખ્‍સોએ લાકડી વડે માર મારતા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ વંડા ગામમાં રહેતા જગદીશભાઇ પ્રવિણભાઇ બારૈયા (ઉવ.૩૨) ગઇ કાલે ગામ પાસે આવેલી પોતાની વાડીએ કપાસ વીણવાનું કામ કરતા હતા. ત્‍યારે અગાઉ તેના ભાઇ પ્રકાશભાઇ સાથે થયેલી બોલાચાલીના સમાધાન માટે અશોક ભીખા ખસીયાએ જગદીશભાઇને બોલાવેતા જગદીશભાઇ ગામ પાસે આવેલ અરજણભાઇની વાડીએ જતા અશોક ભાદા ખસીયા, ભરત હરીભાઇ ખસીયા, ધીરૂ મોહનભાઇ ખસીયા, ઘનશ્‍યામ તથા વિઠ્ઠલે ઝઘડો કરી જગદીશભાઇને લાકડી વડે મારમાર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા પાંચેય શખ્‍સો નાશી ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ મારફતે જગદીશભાઇને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા આ અંગે હોસ્‍પિટલ પોલીસ ચોકીના ઇન્‍ચાર્જે પ્રાથમીક કાગળો કરી સાવરકુંડલા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(1:49 pm IST)