Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

જામનગરના નાગેશ્‍વર પાર્કમાં દાઝીજતા પારૂલબેન રાઠોડનું મોત

ઘરમાં દરવાજા ચડાવતી વખતે ચાલુ ગેસમાં જાળ લાગતા દાઝી ગયાઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: જામનગરના જુના નાગનાથ રોડ પર નાગેશ્‍વર પાર્કમાં ચાલુ ગેસમાં જાળ અડી જતા મહિલા દાઝી જતા તેનું રાજકોટની હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગરના નાગેશ્‍વર પાર્કમાં રહેતા પારૂલબેન જયસુખભાઇ રાઠોડ (ઉ.વ. ૩૭) ગઇકાલે પોતાના ઘરમાં આવેલ દુકાનમાં દરવાજા લગાવવાનું કામ ચાલુ હોઇ તેથી તે દરવાજા ચઢાવતા હતા ત્‍યારે ચાલુ ગેસમાં જાળી અડી જતા પારૂલબેન ગંભીર રીતે દાઝી ગયા હતા, બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તાકીદે સારવાર માટે જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક પારૂલબેનને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે પતિ ચા અને પાનનો વેપાર કરે છે. આ બનાવ અંગે જામનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)