Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રૈયા ચોકડી પાસે બિલ્‍ડીંગના સેલરમાં દીવાલ સાથે માથુ ભટકાતા પેથાભાઇ ભરવાડનું મોત

રાજકોટ તા ૭  :  રૈયા ચોકડી પાસે નવા બનતા બિલ્‍ડીંગના સેલરમાં પચ્‍ચીસ ફૂટ ઉંડા ખાડામાં પગ પડતા દીવાલ સાથે માથુ ભટકાતા ભરવાડ વૃધ્‍ધનું મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ જામનગરના વતની હાલમાં રાજકોટ રૈયા ચોકડી પાસે ‘‘વન વર્લ્‍ડ'' નામના નવા બનતા બીલ્‍ડીંગમાં ચોકીદારી કરતા પેથાભાઇ જોધાભાઇ ઘાવતર (ઉ.વ.૬૦) રાત્રે બીલ્‍ડીંગના સેલરમાં આંટો મારવા ગયા હતા ત્‍યારે અચાનક ૨૫ ફૂંટ ઉંડા ખાડામાં  પગ પડતા તેનું માથુ દીવાલ સાથે ભટકાતા તેને ગંભીર ઇજા થઇ હતી, બાદ તેને સારવાર માટે ખાનગી હોસિપટલમાં ખસેડાયા હતા, ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક પેથાભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. બોઘાભાઇ તથા રાઇટર લક્ષ્મણભાઇએ કાર્યવાહી કરી હતી.

(4:43 pm IST)