Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાયો

ડીવાઇન ટ્રસ્ટ રાજકોટની યાદી મુજબ આરોગ્ય ભારતીના ઉપક્રમે ભાણવડ મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ ગૌશાળા ભાણવડ ખાતે યોજાયેલ ડાયાબીટીશ અને થાઇરોઇડના દર્દી માટે હોમિયોપથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. આશરે ૬૮ દર્દીને ડો. એન. જે. મેઘાણીનાં માર્ગદર્શન હેઠળ એક મહિનાની દવા આપવામાં આવેલ. દંત વૈદ્ય ડો.જયસુખ મકવાણા અને એકયુપ્રેસર થેરાપીસ્ટ જાગૃતિ ચૌહાણ, મોનિકા ભટ્ટ અને ડો. સંજય અગ્રાવત તેમજ મુળુભાઇનું સ્વાગત કરેલ. પ્રફુલભાઇ ભગત, ભટ્ટ ભાઇ, અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. ઉપેન્દ્રસિંહ કુસ્વાહ અને કમલેશ પટેલ હાજર રહેલ. (૧૧.પ)

 

(3:07 pm IST)