Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

૮ અને ૧૨ જુલાઇએ ઓખા-ગૌહાટી પાર્સલ ટ્રેન ચંગસારી સુધી દોડાવાશે

રાજકોટઃ કોવીડ-૧૯ મહામારી વચ્ચે લોકડાઉનના ગાળામાં દેશના જુદા-જુદા ભાગોમાં દવા, સારવારના સાધનો મેડીકલ સામાન, ખાદ્યપદાર્થો સહીતની જરૂરી ચિજવસ્તુઓ લાવતી-લઇ જતી પાર્સલ ટ્રેન ઓખા-ગૌહાટી વચ્ચે દોડી રહી છે. કોરોનાને કારણે મેટ્રોમાં સંપુર્ણ લોકડાઉન ચાલી રહયું છે. આ વચ્ચે ૮ અને ૧ર જુલાઇએ ઓખાથી ઉપડવાવાળી ટ્રેન નં. ૦૦૯૪૯ ઓખા-ગૌહાટી પાર્સલ ટ્રેન ઓખાથી ગૌહાટીના બદલે ચંગસારી રેલ્વે સ્ટેશન સુધી દોડશે. આવી જ રીતે વળતી ટ્રીપ ૧૧ અને ૧પ જુલાઇના ગોહાટીથી ઉપડવાના બદલે ચંગસારીથી ઓખા માટે રવાના થશે. આ બંન્ને ટ્રેનોમાં અગાઉ જાહેર કરાયેલા સ્ટેશનો ઉપરાંત પાટલીપુર સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:20 pm IST)