Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

૨૧ પેટી દારૂ સાથે ઝડપાયેલા કરણસિંહ રાઠોડની અપહરણના ગુનામાં પણ સંડોવણી

ભકિતનગર પોલીસે મહેસાણાના રજપૂત શખ્સનો રેકોર્ડ ચેક કરતા અમદાવાદ નિકોલ પોલીસ મથકમાં ફરાર હોવાનું ખુલ્યું

રાજકોટ,તા.૭: શહેરના કોઠારિયા ચોકડી અટીકા પાસેથી સેવરોલેટ ઓપ્ટ્રા કારમાંથી ૨૧ પેટી વિદેશી દારૂ સાથે ઝડપાયેલા મહેસાણા રજપુત શખ્સ અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં અપહરણ અને પોકસોના ગુનામાં પણ ફરાર હોવાનું ખુલ્યું હતું.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ રાઠોડની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વીકે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા એએસઆઇ ફીરોજ શેખ, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મેહુલભાઇ ડાંગર, હિતેન્દ્રસિંહ ઝાલા, કુલદીપ બાલાસરા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે કોઠારિયા ચોકડી પાસે બાલબા માર્ગ પાસેથી મહેસાણાના ઉંડણીના હાલમાં સિવીલ રોડ પર ભોગીલાલની ચાલી મકાન નં.એ. ૧૭૦/૭૨ માં રહેતો કરણસિંહ વિનોદસિંહ ઉર્ફે વિનુસિંહ રાઠોડ (ઉવ.૨૬) સહિત બે ને પકડી લીધા હતા. બાદ પોલીસે કરણસિંહ રાઠોડનો રેકોર્ડ ચેક કરતા તે અમદાવાદ સીટી નીકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોકસોના ગુન્હામાં નાસતો ફરતો હોવાનું ખુલતા ભકિતનગર પોલીસે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.

(3:18 pm IST)