Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શાપર વેરાવળના કારખાનામાં ભીષણ આગઃ લાખોનું નુકશાન

રાજકોટ અને ગોંડલથી ફાયર ફાઇટરો દોડયાં: આગ લાગવાના કારણોની તપાસઃ જાનહાની નહીં

શાપર વેરાવળ તા. ૭: શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારના શાંતિધામ મંગલમ પોલીટેકનીક નામના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠતા લાખોનું નુકશાન થયાનો અંદાજ છે.

રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ ધરતી ઓરણીના પાછળના વિસ્તારમાં આવેલ શાંતીધામ મંગલમ પોલીટેકનીક નામના કારખાનામાં આગ લાગી હતી. રાજકોટ અને ગોંડલથી બે ફાયર ફાયટરો આગ બુઝાવવા કામે લાગ્યા હતાં. આગથી લાખોના નુકશાનનો અંદાજ છે આગ લાગવાનું કારણ હજુએ અકબંધ કારણ અંગે તપાસ થઇ રહેલ છે. ાગથી કોઇને જાનહાની થઇ નથી. (૭.ર૭)

(4:28 pm IST)