Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પ્રેમીએ લગ્ન કરી લીધાની ખબર પડતા મધ્યપ્રદેશની શીવાંગીનો ફાંસો ખાઇ આપઘાત

શાપર પાસે સરદાર હાઇટસમાં બનાવઃ ત્રણ દિવસ પહેલા શાપર પ્રેમીના ઘરે રોકાવા આવી'તીઃ યુપીના રાકેશસિંહે લગ્ન કરી લીધાઃ એમપીની યુવતીએ પગલુ ભર્ર્યુ

રાજકોટ, તા., ૭: શાપર-વેરાવળમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ લગ્ન કરી લેતા મધ્યપ્રદેશની રાજપુત યુવતીએ પ્રેમીના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં કિશાન પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર હાઇટસ-૭૦૪ માં મધ્યપ્રદેશના પાલીના બીરસીંગપુર ગામની શીવાંગી સંતોષભાઇ પરોઠા (ઉઉવ.રપ) એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ યુવતીના પ્રેમી રાકેશસિંહ જવાહરસિંહ રાજપુતે જાણ કરતા શાપર-વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ રાણા અને રાઇટર મુકેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક શીવાંગીને યુપીના રાકેશસિંઘ સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. તે ત્રણ દિવસ પહેલા રાકેશસિંહના ઘરે રોકાવા માટે આવી હતી. રાકેશસિંહે બે વર્ષ પહેલા બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોઇ, તે બાબતની શીવાંગીને ખબર પડતા બંન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું. (૪.૧૧)

(4:15 pm IST)