Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

દર્દીઓનાં સગાઓ માટે નિઃશુલ્ક ભોજનાલયનો લાભ લેતા સેંકડો લોકો

ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય નીતીનભાઇ ભારદ્વાજ, સાંસદ રામભાઇ મોકરીયા અને પૂર્વ ડે. મેયર અશ્વિન મોલિયા તથા પૂર્વ શાસક નેતા દલસુખ જાગાણી સહિતનાં આગેવાનોએ પૂર્વ મેયર ઉદય કાનગડની સેવાને બિરદાવી

પૂર્વ મેયર ઉદય કાનગડે દર્દીઓનાં સગાઓ માટે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કર્યુ છે. તેની મુલાકાત નીતિનભાઇ ભારદ્વાજ, રામભાઇ મોકરીયા સહિતનાં ભાજપ આગેવાનોએ લીધી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ, તા., ૭:  કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના સગાઓ માટે પુર્વ મેયર ઉદય કાનગડ દ્વારા ઇવનીંગ પોસ્ટ ખાતે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરાયું છે. જેમાં દરરોજ સવારે ૮ થી સાંજ ૬ સુધી ચા-નાસ્તો તથા બપોરે દાળ-ભાત-શાક-ગુંદી-ગાંઠીયાનું ભરપેટ ભોજન કરાવાઇ રહયું  છે.

આ નિઃશુલ્ક  ભોજન સેવાનો સેંકડો લોકો લાભ લઇ રહયા છે.

દરમિયાન આજે ભોજનાલયની મુલાકાત ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય નીતીનભાઇ ભારદ્વાજ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પુર્વ ડે. મેયર અશ્વીન મોલીયા, પુર્વ શાસક નેતા દલસુખ જાગાણી તથા સહીતના આગેવાનોએ લઇ અને ઉદયભાઇની સેવાને બિરદાવી હતી.

આ સેવાકાર્યમાં વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર નિલેષ જલુ, સોની અગ્રણી દીલીપભાઇ આડેસરા, દુર્ગેશભાઇ વગેરે સતત સહયોગી થઇ રહયા છે.

(4:08 pm IST)