Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મંજુલાબેન સંઘાણી દ્વારા પાંજરાપોળને રૂ.૧ લાખનું અનુદાન

રાજકોટ,તા.૬: વર્તમાને લોકડાઉનના સંજોગોમાં, રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળની અબોલ નિરાધાર આશરે ૫૦૦૦ જેટલા જીવો ના નિભાવ માટેની અપીલને માન આપીને ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંદ્યના શ્રાવિકા મંજુલાબેન કૃપાશંકર સંદ્યાણી તરફથી રૂપિયા એક લાખનો ચેક પાંજરાપોળના કાર્યકર સંજયભાઇ મહેતાને આજે મહાવીર જયંતિ ના શુભ દિવસે, અર્પણ કરાયો.અત્રે ઉલ્લેખનીય છે કે ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘમાં મંજુલાબેન મહિલા મંડળમાં ખુબ જ અગ્રેસર છે,ઙ્ગ તેમજ આ અગાઉ પણ તેમણે રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળ ને દ્યણી મોટી માતબર રકમનું દાન આપેલ છે.આ દાન રૂપી જીવ દયા  માટે રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળ, ચંદ્રકાંતભાઈ તથા પરેશભાઈ કોઠારીનો આભાર માને છે.તેમજ દરેક જીવદયા પ્રેમીઓ ને આ કપરા સમયમાં અબોલ નિરાધાર જીવો પ્રત્યે વિશેષ અનુકંપા રાખવા પાંજરાપોળ ના કાર્યકરો, પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવિયા, સંજયભાઇ મહેતા, યોગેશભાઈ શાહ, બકુલભાઈ રૂપાણીએ વિનંતી કરેલ.

(4:23 pm IST)