Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

શહીદોના પરિવારને ભાજપના કોર્પોરેટરો દ્વારા કલેકટરને રૂ. ૬.૧૩ લાખનો ચેક અર્પણ

પુલવામા આતંકવાદી હુમલામાં દેશના શહીદ થયેલ જવાનોના પરિવારને મદદરૂપ થવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરોએ પોતાનું એક માસનું માનદ વેતન રકમ રૂ.૬,૧૩,૪૫૦ આજરોજ CRPF Wives Welfareના નામનો ચેક જીલ્લા કલેકટરને સુપ્રત કરતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કલ્મેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તસ્વીરમાં નજરે પડે છે તેમ મેયરની યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)