Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

એસ.સી. , એસ.ટી, ઓબીસીના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચીંગ

રાજકોટ : ડો. આંબેડકર ફાઉન્ડેશન- દ્વારા એસસી, એસટી, ઓબીસીના ૧/૨ના બેચ નં-૫નું ઉદ્ધાટન અંતર્ગત ફ્રી માર્ગદર્શન સેમીનાર તા.૮ ના શનિવારે બપોરે ૨ થી ૪ ડો. આંબેડકર હોલ, દાશીજીવણ પરા, નાના મૌવા રાજકોટ ખાતે યોજનાર છે

આયોજનમાં કેતન પનારા, ઇકબાલ સમા અને પ્રમુખ હેતલબેન મકવાણા, સી.કે રાઠોડ, યોગેશ સોલંકી વગેરે માર્ગદર્શકો હાજર રહેશે આ માટે અક્ષય ચાવડા, જગદીશ ચાવડા, સંગીતા ચાવડા, હેતલ પરમાર, મોનિકા પારિયા, અજય ચાવડા, રાકેશ રાઠોડ, રાહુલ સોયેલીયા, નિશાંત ભોજની, પરમ રાવલીયા, કૃણાલ, જીગ્નેશ જહેમત ઉઠાવી રહયા છે. (મો.૯૯૦૯૮ ૫૨૪૧૭)

(4:19 pm IST)