Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટના હોદેદારોની કાલે ચૂંટણીઃ પ ટ્રસ્ટીઓ,૧૮ કારોબારી સભ્યો મેદાનમાં

સદભાવના પેનલે હેલીકોપ્ટર નિશાન સાથે ઝંપલાવ્યું: જ્ઞાતિજનોને મતદાન કરવા અનુરોધ

રાજકોટઃ તા.૭, રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટની કારોબારી સમિતિ અને પાંચ ટ્રસ્ટીઓની ચુંટણી તા. ૮ ને શનિવારના રોજ યોજાનાર છે. રાજકોટ માં વસતા ૪ હજાર જેટલા પરીવારોની સંસ્થાના કારોબારી સદસ્ક અને પાંચ ટ્રસ્ટીઓની નિયુકિત માટે સમાજના પુરૂષ મતદાતાઓ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતીની વાડી નં. ૧, રામનાથ પરા, રાજકોટ ખાતે સવારના ૧૦ કલાકથી સાંજના પ કલાક સુધી મતદાન હોવાનું જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યુ હતુ.

 ગુર્જર પ્રજાપતિ સમાજના ઉત્થાન, વિકાસ અને સમાજની નવિ પેઢીમાં એજયુકેશનનો વ્યાપ વધે અને એક સમાજ નેક સમાજના ધ્યેયના મુખ્ય એજન્ડા સાથે જ્ઞાતિ ટ્રસ્ટની ચુંટણીમાં સમાજના વેપારીઓ, યુવાનો, નિવૃત કર્મચારી અને અગ્રણી સમાજ શ્રેષ્ઠીઓ ની સદ્બાવના પેનલે સમાજમાં બદલવાની ભાવના સાથે'હેલીકોપ્ટર'' ના નિશાન સાથે ઝંપલાવ્યુ છે. અને સદભાવના પેનલને જ્ઞાતિમાંથી સ્વયંભુ ઉપરાંત ઈટ ઉત્પાદક સંગઠન અને સમાજના અગ્રણીઓનું પણ સદભાવના પેનલને સમર્થન સાંપડેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

સદભાવના પેનલના કારોબારી સમિતિના ઉમેદવારો સર્વશ્રી, ચંદુભાઈ જાદવ, બળવંતભાઈ હળવદિયા, રમેશભાઈ સોરઠીયા, અશોકભાઈ ગોહેલ, ભરતભાઈ ભલસોડ, મનસુખભાઈ પરમાર, નરેશભાઈ ગોરવાડીયા, ભાવેશભાઈ ભલસોડ, વિનોદભાઈ કોશીયા, મનસુખભાઈ સતાપરા, દામજીભાઈ ભલસોડ, નરશીભાઈ હળવદીયા, હિરેનભાઈ ભલસોડ, ભરતભાઈ જાગાણી, અશોકભાઈ હાલારી, વિપુલભાઈ મુળીયા અને ટ્રસ્ટી મંડળના ઉમેદવારો ગોવિંદભાઈ સરેરીયા, અમરશીભાઈ ભલસોડ, ઈશ્વરભાઈ ધાટલીયા, જયેશભાઈ ચૌહાણ, રસીકભાઇ ભલગામા છે ઉકત તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)