Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રવિવારે તોગડિયા રાજકોટમાં ૩ કાર્યક્રમોમાં હાજરી આપશે

રાજકોટ,તા.૭:આગામી તારીખ ૯ ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રણેતા ડો. પ્રવિણ તોગડિયાજી રાજકોટના પ્રવાસે આવે છે. તેઓ બપોરે ૪:૦૦ કલાકે મહેન્દ્રસિંહ તલાટિયાના કેનાલ રોડ ખાતે આવેલ ઓમ ટુર્સ એન્ડ હોલીડે ઓફીસનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ  સાંજે ૫:૦૦ કલાકે રાજકોટના સંત કબીર રોડ પર આવેલ ત્રિલોકનાથ મંદિર ખાતે 'એક મુઠી અનાજ' તથા હિન્દૂ હેલ્પલાઈન કાર્યક્રમમાં હાજરી આપશે.કાર્યક્રમમાં તેમના દ્વારા જરૂરિયાત મંદ લોકો ને અનાજ અને ધાબડા અર્પણ કરવામાં આવશે. સાંજે ૬:૦૦ કલાકે, જયૂબેલી ચોક, ઇવનીંગ પોસ્ટ ખાતે જયંતિભાઈ પટેલના શષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં હાજરી આપશે. ડો. પ્રવિણ તોગડીયાજી ના પ્રવાસના કાર્યક્રમમાં છગનભાઈ પટોળીયા, જયંતિભાઈ પટેલ, મહેન્દ્રસિંહ તલાટીયા, દિલીપભાઈ સોલંકી સહીતના આગેવાનો કાર્યરત રહેશે. વધુ માહિતી માટે  મો.૯૪૨૯૦ ૪૩૯૨૯ ઉપર સંપર્ક સાધવો.

(3:46 pm IST)