Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવ, સંતવાણી

નિર્વાણ સ્વામી આનંદ તથાગત તથા નિર્વાણમાં યોગ કુંદનનું પુષ્પાંજલી સાથે ભાવાંજલી કિર્તન : આયોજક-સંચાલક સ્વામી સત્ય પ્રકાશ, વિશેષ ધ્યાન નિતિનભાઇ ચાંડેગ્રા, દ્રારા બકુલભાઇ ટિલાવત દ્વારા રાત્રે સંતવાણી નામ નોંધણી રાસ

રાજકોટઃ સંબુધ્ધ રહસ્ય દર્શી સદ્ગુરૂ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર તે સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓસો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ ભજન-કિર્તન-ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર ઉજવવામાં આવેે છે.

આગામી તા.૯ને રવિવારના રોજ પુનમ નિમિતે રાબેતા મુજબ હર પુનમે યોજાતી ઓશો ધ્યાન શિબિર દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો વિવિધ ધ્યાન-પ્રયોગો, વિડીયો દર્શન, નિતિનભાઇ દ્વારા વિશેષ ધ્યાન હિમાલય-ધર્મશાળાના ઓશો નિસર્ગ આશ્રમના સ્થાપક તથા  ઓશોના જુના સન્યાસીની નિર્વાણમાં યોગ કુદંન તે ભાવાંજલી સાથે પુષ્પાંજલીનો વિશેષ કાર્યક્રમ સંધ્યા ધ્યાન બાદ પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરેલ છે. શિબિરનુું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરવાના છે.

શિબિર બાદ રાત્રે ૧૦ થી ૧ સંતવાણીના કાર્યક્રમનું આયોજન ભજનીક બકુલભાઇ ટીલાવત, ચંદુભાઇ, પીંકુભાઇ નિમાવત, પ્રફુલભાઇ રામાનુજ, વિજયભાઇ પાઠક, જય તબલા ઉત્સાદ, રાજેષભાઇ કુબાવત તબલા ઉસ્તાદ, પ્રવિણભાઇ વ્યાસ, દેવજી બાપા  ચુડાસમા, ગૌતમભાઇ મકવાણા, ચંદ્રેશભાઇ રામાવત, પીયુષભાઇ અગ્રાવત, રસીકભાઇ તબલા ઉસ્તાદ  હરી વગેરે સંતવાણીના કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છેે.

ઉપરોકત પુનમની ઓશો ધ્યાન શિબિરમાં તથા નિર્વાણ સ્વાતી આનંદ તથાગત તથામાં યોગ કુંદન ના ભાવાજંલી કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમી ઓને ઓશો ઇનર સર્કલે અનુરોધ કરેલ છે.

શિબિરમાં સહભાગીતા થવા માટે રૂબરૂ અથવા સાથ  આપેલા મો.નં. પર એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવી અત્યંત જરૂર છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન  મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ  વિશેષ માહિતી તથા શિબિરમાં સહભાગીતા માટે એસએમએસ કરવા માટે સ્વામી સત્ય પ્રકાશ- ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ - ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:36 pm IST)